નીતિન નવિનજી હવે મારા બોસ છે – વડાપ્રધાન મોદી …આજથી કાર્યભાર સંભાળ્યો, દિલ્હી ખાતે કાર્યક્રમમાં શું બોલ્યા જાણો
By: Nation Gujarat Team
20 Jan, 2026
ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ નીતિન નવીનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. મંગળવારે તેમની ઔપચારિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પોતાના નવા બોસ ગણાવ્યા. તેમણે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને જગત પ્રકાશ નડ્ડા સહિત અગાઉના રાષ્ટ્રપતિઓના કાર્યકાળને પણ યાદ કર્યો. નવીન ભાજપના 12મા અધ્યક્ષ બન્યા.
પીએમ મોદીએ મંગળવારે કહ્યું, “ભાજપ એક સંસ્કૃતિ છે. ભાજપ એક પરિવાર છે. સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદ નહીં, પ્રક્રિયા દ્વારા ચાલે છે. પદ એક સિસ્ટમ છે, અને જવાબદારીઓ જીવનભરની જવાબદારી છે. અહીં રાષ્ટ્રપતિ બદલાય છે, પરંતુ આદર્શો રહે છે. નેતૃત્વ બદલાય છે, પરંતુ દિશા બદલાતી નથી.”
પીએમ મોદીએ કહ્યું, “રાજનાથજીના નેતૃત્વમાં, ભાજપે પહેલીવાર પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી. પછી, અમિતજીના નેતૃત્વમાં, દેશભરના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો બની, અને સતત બીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર બની.” તેમણે કહ્યું, “ત્યારબાદ, જેપી નડ્ડાના નેતૃત્વમાં, ભાજપ પંચાયત સ્તરથી લઈને સંસદ સુધી વધુ મજબૂત બન્યો, અને કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની. હું ભાજપના તમામ ભૂતપૂર્વ પ્રમુખોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
નવીને ઔપચારિક રીતે નડ્ડાનું સ્થાન લીધું છે. નવીને 14 ડિસેમ્બરે ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ બિહાર સરકારમાં કાયદા અને ન્યાય, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપના સંગઠનાત્મક ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર કે લક્ષ્મણે સંગઠનાત્મક ચૂંટણીના પરિણામો જાહેર કર્યા અને 45 વર્ષીય નવીનને ચૂંટણી પ્રમાણપત્ર સોંપ્યું, જે પાર્ટીના ટોચના પદ પર બિરાજનારા સૌથી યુવા વ્યક્તિ છે. આ પ્રસંગે પીએમ મોદી, ગૃહમંત્રી શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, માર્ગ અને પરિવહન મંત્રી ગડકરી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સંબોધનના અંશ
- સંગઠન પર્વનું વિશાળ આયોજન ભારતીય જનતા પાર્ટીની લોકતાંત્રીક આસ્થા, સંગઠનાત્મક અનુશાસન અને કાર્યકર્તા કેન્દ્રિત વિચારોનું પ્રતિક છે
- દેશભરના કાર્યકર્તાઓને આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
- પાછલા 1 થી 1.5 વર્ષમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિનું પર્વ, અટલજીની 100મી જન્મજયંતિ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના 100 વર્ષ આવા મહાપર્વ આપણે ઉજવ્યા છીએ, આ એ પ્રેરણા છે જે દેશ માટે જીવવાના આપણા સંકલ્પને મજબૂત બનાવે છે.
- આપણું નેતૃત્વ પરંપરાથી ચાલે છે,અનુભવથી સમૃદ્ધ થાય છે અને જનસેવા, રાષ્ટ્ર સેવા ભાવથી સંગઠનને આગળ વધારે છે
- અટલજી,અડવાણીજી,મુરલી મનોહર જોષીજીના નેતૃત્વમાં ભાજપે શુન્યથી શિખર સુધીની સફર જોઇ છે.
- આ સદીમાં વેંકૈયા નાયડુજી,નીતિન ગડકરી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ સંગઠનનો વિસ્તાર કર્યો, રાજનાથજીના નેતૃત્વમાં પહેલી વખત ભાજપે પોતાના દમ પર બહુમત પ્રાપ્ત કર્યુ
- અમિતભાઇના નેતૃત્વમાં દેશના ઘણા રાજયોમાં ભાજપાની સરકાર બની, સતત બીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર બની.
- જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં ભાજપા પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી વધુ સશક્ત બની
- કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ-એનડીએની સરકાર બની
- તેમના અમુલ્ય યોગદાન માટે દેશના તમામ કાર્યકર્તાઓ તરફથી તેમજ મારા તરફથી અભિનંદન પાઠવું છું.
- આજે ભાજપાનું જેટલું ફોકસ સંગઠનના વિસ્તાર પર છે તેટલી જ પ્રાથમિકતા કાર્યકર્તાના નિર્માણની પણ છે
- ભાજપા એક એવી પાર્ટી છે જયા લોકોને લાગે છે કે, નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા,25 વર્ષથી સતત હેડ ઓફ ધ ગવર્મેન્ટ રહ્યા છે,આ બધુ તેની જગ્યા પર આનાથી પણ સૌથી મહત્વની વાત છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ સૌથી મોટો ગર્વ છે.
- પાર્ટીની અંદર આદરણીય નીતિન નવિનજી હું એક કાર્યકર્તા છું તે મારા બોસ છે
- આદરણીય નીતિન નવીનજી આપણા સૌના અધ્યક્ષ છે
- તેમની જવાબદારી ભાજપાને સંભાળવા પુરતુ નહી પરંતુ એનડીએના સાથી પક્ષો સાથે પણ તેમને તાલમેલ સંભાળવી પડશે
- નીતિનજીના સંપર્કમાં જે પણ આવ્યા છે તે તેમની સરળતાની ચર્ચા કરે છે
- યુવા મોરચાની જવાબદારી, અલગ અલગ રાજ્યોમાં પ્રભારીની જવાબદારી, બિહાર સરકારમાં કામ કરવાની જવાબદારી એમ જે જે જવાબદારી મળી તેમા તેમને કાર્યક્ષમતા સાબિત કરી
- જવાબદારી આપવા વાળાને પણ તેમના કાર્યથી ગર્વનો અનુભવ કરાવ્યો
- 21મી સદી છે અને જોતજોતામાં 21મી સદીના પહેલા 25 વર્ષ પુર્ણ થયા છે અને આવનાર 25 વર્ષ ખૂબ જ મહત્વપુર્ણ છે, આ એ કાળખંડ છે જ્યારે વિકસીત ભારતનું નિર્માણ થવાનું છે અને થવાનુ નક્કી છે
- આ મહત્વપુર્ણ કાળખંડની શરૂઆતમાં આપણા આદરણીય નીતિન નવીનજી ભાજપની વિરાસતને આગળ વધારશે
- નીતીનજી પાસે યુવા ઉર્જા પણ છે અને સંગઠનમાં કાર્ય કરવાનો અનુભવ
- આ વર્ષે જનસંઘની સ્થાપનાને 75 વર્ષ થઇ રહ્યા છે અને આજે 75 વર્ષ અનેક પરિવારે જે ત્યાગ, તપસ્યા અને બલિદાન આપ્યું છે તેમને આદર પુર્વક નમન
- જનસંઘ રૂપી વટવૃક્ષથી ભાજપાનો જન્મ થયો અને ભાજપા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે
- ભાજપ એક પરિવાર છે, આપણે ત્યા સભ્યપદ થી વધારે રિલેશનશિપ હોય છે
- ભાજપ એક એવી પરંપરા છે જે પદ થી નહી પ્રક્રિયાથી ચાલે છે
- આપણે ત્યાં પદભાર એક વ્યવસ્થા છે અને કાર્યભાર જીવનભરની જવાબદારી
- આપણે ત્યાં અધ્યક્ષ બદલાય છે પરંતુ આદર્શ નથી બદલાતા
- નેતૃત્વ બદલાય પણ દિશા નથી બદલાતી
- ભાજપાનું સ્વરૂપ નેશનલ છે,ભાજપાની સ્પિરિટ નેશનલ છે,
- આજે દેશના ખૂણે ખૂણેથી લોકો ભાજપા સાથે છે ભાજપા સાથે જોડાય છે અને જે પણ તેની રાજનીતીનો પ્રારંભ કરવા ઇચ્છે છે તેને પણ ભાજપાનો પ્રવેશદ્વાર સૌથી ઉત્તમ અને સુરક્ષીત લાગે છે
- જનતાજર્દાનની સેવા આપણા માટે સર્વોપરી રહી છે આપણે સત્તાને સુખનુ નહી પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું છે એટલા માટે ભાજપા પર જનતાનો વિશ્વાસ સતત મજબૂત થતો જાય છે
- પાછલા 11 વર્ષોની વાત કરીએ તો ભાજપાની સફર જનવિશ્વાસ પ્રાપ્ત કરવાની અદભૂત સફર રહી
- પાછલા 11 વર્ષોમાં ભાજપે હરિયાણા,અસમ,ત્રિપુરા,ઓડિસામાં પહેલી વખત પોતાના દમ પર સરકાર બનાવી
- પ.બંગાળ અને તેલગણામાં ભાજપા જનતાનો મોટો અવાજ બની છે
- લાંબા કાર્યકાળ પછી સરકારોનું ટકવું મુશ્કેલ હોય છે પરંતુ ભાજપે આ ટ્રેન્ડને તોડી નાખ્યો
- ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,બિહાર રાજયોમાં ભાજપ પહેલાથી વધુ જનાદેશ સાથે સરકારમાં આવી
- પાછલા 2 વર્ષોમાં ભાજપા પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપની સ્ટ્રાઇક રેટ વધી
- દેશમાં 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઇ જેમાં ચાર ચૂંટણી ભાજપ-એનડીએ જીત્યું, આજે ભાજપા સંસદ અને વિધાનસભાની નહી નગરપાલિકા અને નગરનિગમોમા પણ પહેલી પસંદ છે
- મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યું તે ખૂબ સારુ છે 29માંથી 25મા ભાજપ એનડીએને જનતાએ પસંદ કર્યુ
- જેટલા નગરસેવકો ચૂટાયા તેમાંથી 50 ટકા ભાજપના છે
- કેરલામાં ભાજપના 100 નગરસેવકો છે
- કેરલ વિધાનસભામાં ભાજપ પર મતદારો વિશ્વાસ મુકશે
- ભાજપાએ પાર્ટી વિથ ડિફરન્સના રૂપથી યાત્રા શરૂ કરી હતી, આજે ભાજપા પાર્ટી વિથ ગવર્નન્સ પણ છે
- ભાજાપા જ છે જેને સામાજીક ન્યાયના સુત્રને જમીની સ્તરે ઉતાર્યું છે
- આઝાદીના 70 વર્ષ પછી 3 કરોડ ગ્રામિણ પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચતુ હતું ત્યાર બાદ ભાજપે 12 કરોડ પરિવારોને ભારતે નળ સે જળની યોજનાથી જોડયા
- ભાજપાએ હર ઘરને એલપીજી ગેસ કનેકશન સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યુ અને વર્ષ 2014 સુધી જ્યા ફકત 14 કરોડ એલપીજી કનેકશન હતું આજે દેશમાં 35 કરોડથી વધુ ગેસ કનેકશન છે
- ગામાડાની બહેનોને લખપતિ દીદી બનાવવાનું અભિયાન છે
- દસકો સુધી આદિવાસી સમાજને ફકત વોટબેંકની નજરથી જોવામાં આવ્યું
- ભાજપાએ આદિવાસી સમાજની પિડાને સમજી તેમના વિકાસ માટે પીએમ જનમન યોજના બનાવી
- નોર્થ ઇસ્ટમાં મતદારો એટલા નથી અને બેઠક પણ એટલી નથી એટલા માટે કોંગ્રેસની સરકારે તેમને વર્ષો સુધી ઉપેક્ષીત રાખ્યા
- ભાજપનો મંત્ર છે કે પછાત વર્ગોને પ્રાથમિકતા
- આપણી કાર્યસંસ્કૃતિ સર્વસમાવેશી છે, સર્વાગીણ છે, સર્વસ્પર્શી છે સર્વ હિતકારી છે,સર્વ કલ્યાણકારી છે, ગરિબોને સમાન તક આપવાની છે ગરિબોને સશકત કરવાની છે
- 1 દશકમાં 25 કરોડ લોકો ગરિબિ રેખાથી બહાર આવ્યા
- જ્યારે આપણે સત્તા પર નોહતા ત્યારે પણ આપણે આપણા મૂળ આદર્શોને છોડયા નથી
- પોતાનાથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ
- પાછલા 11 વર્ષોમાં આપણે ઘણી ચેલેન્જો પર વિજય મેળવ્યો છે
- 1984માં કોંગ્રેસને 400 થી વધુ બેઠકો મળી હતી અને દેશે 50 ટાક વોટ આપ્યા હતા આજે કોંગ્રેસ 100 બેઠક માટ તરસી રહી છે
- કોંગ્રેસ તેના પતનની કાયારેય સમિક્ષા નથી કરતુ કારણ કે જો સમિક્ષા કરશે તો પરિવાર પર સવાલ થશે જે પરિવારે કોંગ્રેસ પર કબ્જો કરી રાખ્યો છે
- કોંગ્રેસ તેના પતન માટે સાચુ કારણ શોધવાની હિમંત પણ ગુમાવી ચુક્યુ છે
- આપણે હાર અને જીત પછી સમિક્ષા કરીએ છીએ